SVASAMWAD KA JADU

175 195 (10% Off)
Name: સ્વસંવાદ કા જાદુ
SKU Code: 7942
Author: SIRSHREE
Weigth (gms): 250
Year: 2013
Pages: 192
ISBN: 9788184152149
Availability: In Stock

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

સ્વસંવાદ એટલે પોતાની સાથે વાતચીત કરવી. જેને એકાંતમાં , મનમાં કે ગ્રુપમાં રટવાથી જોઈ ન શકનાર પરિવર્તનનો આભાસ થઈ શકે છે. તે ત્યારે ઉપયોગી નીવડે છે જ્યારે વ્યક્તિ જીવનનાં રિમોટ કન્ટ્રોલ દ્વારા પોતાના મન, શરીર,બુધ્ધિ,ચેતના તથા લક્ષ્ય પર નિયંત્રણ રાખે છે. આ વિષય પર સરશ્રી તેજપારખીજી દ્વારા લખેલું પુસ્તક “સ્વસંવાદ કા જાદુ” સ્વસંવાદનાં માધ્યમથી ઉત્તમ જીવન મેળવવાના રહસ્યથી પરિચિત કરાવે છે. મૂળ ૫ ખંડોમાં વિભાજિત આ પુસ્તકનાં દરેક ખંડમાં અનેક રોચક વાર્તાઓ દ્વારા તેના મહત્વને ઊંડાણથી સમજાવવામાં આવ્યું છે. સ્વસંવાદનાં દ્વારા વાચક સુખ દુ:ખનાં રહસ્ય, વિચારોની દિશા, સ્વસંવાદ સંદેશ, રોગ નિવારણ, સેલ્ફ રિમોટ કન્ટ્રોલ, કાર્યની પૂર્ણતા, નફરતથી મુક્તિ , ઉત્તમ સ્વસંવાદ અને નવા વિચારોને મેળવવાનાં ઉપાય જાણી શકે છે. સરશ્રી કહે છે – સકારાત્મક સ્વસંવાદ પર વિશ્વાસ રાખવાથી જ ઉત્તમ જીવન જીવવાનો રસ્તો મેળવી શકાય છે. ભાવનાઓમાં ભક્તિ અને શક્તિની યુક્તિ દ્વારા કુદરતથી સીધો સંવાદ સ્થાપિત કરી શકાય છે. બધુ મળીને આ પુસ્તક સ્વસંવાદનાં મહત્વને દર્શાવી વાચકોને નવી દિશા આપે છે. પુસ્તકમાં મોટાભાગે સરળ શબ્દોનો જ પ્રયોગ થયો છે, જેનાથી વાચકો નો દરેક વર્ગ સરળતાથી શબ્દોનાં સારને ગ્રહણ કરી લે છે. તથા વાર્તા અને ઉદાહરણોનો અનોખો પ્રયોગ વાચકોને આકર્ષિત પણ કરે છે.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત